એક વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ત્રણ વાગ્યે પ્રાર્થના કરતા હતા :

     “હે મહારાજ, હે બાપા, હે સદ્‌ગુરુઓ, આપના કારણ સત્સંગના પરિવારના સભ્યોની રક્ષા કરજો... કોઈને પડવા ન દેશો... સૌને છેલ્લા શ્વાસ સુધી નિભાવજો... હે મહારાજ. દયા કરો...”

     સેવક સંતે પૂછ્યું, “બાપજી, આપ સૌ માટે કેમ પ્રાર્થના કરો છો ?”

    ગુરુવર્ય પ.પૂ.બાપજી બોલ્યા : “કારણ સત્સંગ મહારાજના સંકલ્પનો પરિવાર છે. મહારાજે અમને એમની જવાબદારી સોંપી છે. એટલે સૌની ચિંતા અમને હોય ને ! માટે અમે રોજ સમગ્ર સમાજની રક્ષા સારું વહેલા ૩:૦૦ વાગ્યે ઊઠી મહારાજને પ્રાર્થના કરીએ છીએ.”

     સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીની પરમહિતકારી રીત નીરખી રહ્યા.