તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો.

    સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો.

    શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા હતા.

    સંધ્યા સમયે પૂ. સંતો મહારાજનો થાળ બનાવતા હતા ને ઠાકોરજી માટે ટીંડોળા-બટાકાનું શાક સમારતા હતા. તે વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા ને બોલ્યા,

    “સંતો... શું કરો છો ?”

    “બાપજી, મહારાજના પ્રાગટ્યોત્સવના થાળ માટે શાક સમારીએ છીએ.”

    “સંતો, થાળમાં શાક તીખું ન કરતા. કેમ કે આજે મહારાજનો પ્રાગટ્ય દિન છે. એટલે ઠાકોરજી બાળસ્વરૂપે હોય તેથી તીખું લાગે. અને હા... ઠાકોરજી માટે શીરો પણ ગરમ ગરમ ન ધરાવતા, થોડો ઠંડો કરીને ધરાવજો.”

    સંતો ઠાકોરજી પરત્વે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રગટભાવ-દિવ્યભાવ જોઈ આત્મગત અંદરોઅંદર બોલી રહ્યા,

    “ઠાકોરજીનું કેવું જતન ! કેવો દિવ્યભાવ ! કેવો પ્રગટભાવ !”