એક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા.

ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે,

“હે પ્રભો ! તમે હવે દયા કરીને કોઈ દિવસ મને મનુષ્યનો અવતાર દેશો નહીં. કેમ કે આ મનુષ્યદેહે કરીને વિષયસુખ ભોગવાતું નથી. માટે આપ જન્મોજન્મ લંબકર્ણનો અવતાર દેજો જેથી સારી પેઠે વિષયસુખ તો ભોગવાય.”

મહાપ્રભુ તેમની આ પ્રાર્થના સાંભળી દ્રવી ઊઠ્યા.

“અરરર... જીવો આટલા બધા વિષયસુખમાં ચકચૂર છે. શું થશે આવા જીવોનું ? આવા વિષયાસક્ત જીવો તો જગતમાં ઘણા હશે, મારે તેમને મારા સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન આપી, ઉપદેશ કરી વિષયમાંથી નિવૃત્ત કરવા છે. હવે તે કાર્યમાં વિલંબ નથી કરવો.”