વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી દર શુક્રવારે હરિભક્તોને સાંજે ૫થી ૬ વાસણા ખાતે દર્શનનો લાભ આપતા. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીમુક્તોની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજીનાં દર્શન-આશીર્વાદનો વિશેષ લાભ મળે તે હેતુથી તા.૧૦-૩-૨૦૧૭ને શુક્રવારના રોજ સાંજે ૫વાગ્યે વિદ્યાર્થીઓનેઆમંત્રણ આપ્યું હતું.

ફોટોગ્રાફી કલેક્શન થઈ શકે તે હેતુથી વાસણા સંત આશ્રમના વચ્ચેના હૉલમાં પૂ.સંતોએ વ્યવસ્થા ગોઠવી રાખેલી.

પૂ.સંતોએ ગુરુદેવ પ.પૂ.બાપજીને બહાર પધારવા પ્રાર્થના કરી. ગુરુદેવ પ.પૂ.બાપજીએ અરુચિ જણાવતાં કહ્યું, “અમારે બહાર આવવું નથી. આવો તાયફો અમને ગમતો નથી.માટે સૌ વિદ્યાર્થીઓને અહીંયાં અંદર જ દર્શન કરવા બોલાવી લો.” એમ કહીને સૌને અંદર રૂમમાં જ દર્શન કરવા માટે બોલાવ્યા.