About Anadimukta

 

  • અનાદિમુક્તનો મહિમા
  • અનાદિમુક્ત એટલે શું ?
  • અનાદિમુક્ત કોણ છે ?
  • અનાદિમુક્ત શા માટે થવાનું ?
  • અનાદિમુક્ત કેવી રીતે થવાય ?
  • મૂર્તિનું સુખ એટલે શું ? અને તે સુખ કેવું છે?



Inspirational Quotes

"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 2/36

"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."

- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2

"હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું તેવી લટક શીખવી."

- બાપાશ્રીની વાતો: ભાગ-2, વાર્તા-48

“સત્પુરુષ મારું હૃદય છે, સત્પુરુષ મારો કંઠ છે, સત્પુરુષ મારાં નેત્ર છે. સત્પુરુષનો થોડો દ્રોહ થાય તોપણ મને કરોડો ધણો ડર લાગે છે. મારો અપરાધ કોઈ કોટિ વાર કરે તોપણ હું દુખાતો નથી, પરંતુ સત્પુરુષનો અલ્પ અપરાધ કરે તેના પર કરોડો ઘણો દુખાઈ જાઉં છું. હું તેને કદી માફ ન કરું. સત્પુરુષ માફ કરે તો ભલે. સત્પુરુષ માફ કરે તો જ તે અપરાધનું પાપ ટળે છે.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૫, તરંગ-૧૩

“મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે.”

- સારંગપુરનું ૧૮મું વચનામૃત

“મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય ને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય.”

- ગઢડા પ્રથમનું ૫૮મું વચનામૃત

“સત્પુરુષ ચિંતામણિ સમાન હોય છે. તેની સમીપે જઈને મનુષ્ય, જેવું ચિંતવે તેવું તેને મળે છે. એ ચિંતામણિ એવી છે જે બધાનું ભલું ઇચ્છે છે. સત્પુરુષ કદી કોઈને દુ:ખી કરતા નથી.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૨, તરંગ-૫૦

New Prasangs

View all
  • Published 25 Jul 2024

“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય... Read More

  • Published 18 Jul 2024

“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર... Read More

  • Published 11 Jul 2024

સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત... Read More

Featured Prasangs

  • Published 29 Jun 2023

ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More

  • Published 22 Jun 2023

મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More

  • Published 15 Jun 2023

‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે... Read More

Characteristics of Anadimukta Satpurush

1

સર્વો૫રી ઉપાસના સમજાવે

ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩

2

અનાદિમુક્તની પ્રાપ્તિ કરાવે

સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧

3

પંચવર્તમાન ૫ળાવે

મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧

4

પંચવિષયમાંથી અનાસક્ત કરે

ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮