એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.

     તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,

     “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો કેમ કરવું ? જેમ આપ રાજી હોય તેમ કરું ?!”

     પ.પૂ. સ્વામીશ્રી નિરુત્તર રહ્યા. તેમની સામે દિવ્ય દૃષ્ટિ રેલાવતા રહ્યા.

     પેલા હરિભક્તે એનો એ પ્રશ્ન ફરી પૂછ્યો.

     ત્યારે પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા જે, “પથ્થરની ખાણમાંથી કેવળ પથ્થર મળે... પણ સાચા સુખની ખાણ તો મૂર્તિ છે... માટે અમે તો મૂર્તિની ખાણ માટે હા પાડીએ...”