“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ?” પૂ.સેવકસંતે પૂછ્યું.

“હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું.

“સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ મુક્તો પર આપનો અંતરનો રાજીપો ક્યારે વહે ?”

‘મારી ધારણા પ્રમાણે તો એવું જ કે, સ્વામી જે નિર્માની અને દાસ થાય તેના પર અંતરથી રાજી થાય.’ પૂ.સેવકસંત મનોમન આવું વિચારી રહ્યા હતા.

પરંતુ ધારણા કરતાં કંઈક જુદી જ વાત નીકળી.

“જે મૂર્તિ રૂપે વર્તે તેના પર અમારો અંતરનો રાજીપો થાય.”