એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા.

ગાડીમાં બેસતાની સાથે જ,

“સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું.

“ના બાપજી, એ તો ભૂલી જ ગયો.”

“માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક. (માળામાં 108 મણકા હોય તેથી) સાધુએ તે લીધા વિના ક્યાંય ન જવાય. માટે ઉપર આસને જઈ માળા લઈ આવો. સાધુ માળા વગર શોભે નહિ ને વિચરણમાં માળા તો અવશ્ય જોઈએ જ.”

“હા બાપજી, લઈ આવું છું.”

માળા આવી પછી જ તેઓ વિચરણ અર્થે પધાર્યા.