તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે ગુરુજી સત્સંગ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સાથે રહેલા સેવક સંત પર સંતો-હરિભક્તોના ફોન આવતા અને તેઓ ફોન રિસીવ કરતા. એમની પાસે ઠાકોરજી હતા આથી ગુરુજીએ સેવક સંતને જણાવ્યું કે, “ઠાકોરજી આપણી સાથે આવેલા અન્ય સંતોને આપી દો. જેથી ઠાકોરજીને વિશ્રામમાં તકલીફ ન પડે અને ઠાકોરજીની મર્યાદા જળવાય સાથે આપને પણ તકલીફ ન પડે.”

આમ, ગુરુજીએ ઠાકોરજીની અને સેવક સંતની ચિંતા રાખી.