તા. ૨-૧૨-૨૦૧૯ ને સોમવારના રોજ ઉના ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન થયેલું.

પધરામણી બાદ મહાપૂજા અને રસોઈનો પ્રોગ્રામ ગોઠવાયેલો. ગુરુજીના જીવનમાં પળે પળે પૂ. સંતોને ઘડવાનો, બળિયા કરવાનો આગ્રહ જોવા મળે. તે અંતર્ગત હરિભક્તને ત્યાં ઠાકોરજી જમાડીને પધારતી વખતે ગુરુજીએ પૂ. સંતોને જણાવ્યું કે, “સંતો ! જલદી જલદી સ્વચ્છતા કરી મંદિરે પહોંચો, આપણે સંતોની સભા કરવી છે.”

મહાપૂજા તથા રસોઈનો પ્રોગ્રામ પૂર્ણ કરીને મંદિરે પહોંચતાં બપોરના ૨ વાગી ગયા અને તેમ છતાં મંદિર પહોંચીને વ્હાલા ગુરુજીએ ૪૦ મિનિટ પૂ. સંતોની સભા કરી અને ત્યારબાદ ૨:૪૫ વાગે ઠાકોરજી પોઢાડ્યા.

આમ, સત્સંગ વિચરણ દરમ્યાન ગુરુજીને પૂ. સંતોના ઘડતરની કેટલી ચિંતા !