તા. ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન કરવામાં આવેલું.

ગુરુજીને પધરામણીમાં પધારવા માટે થોડો સમય બાકી હતો. તે સમય દરમ્યાન ગુરુજી ઠાકોરજી આગળ પદ બોલવા બિરાજ્યા. તે સમયે સંતો-હરિભક્તો સાથે બેઠા એટલે પદ પૂર્ણ કરી, ગુરુજીએ ગઢડા પ્રથમના ૬૭મા વચનામૃત પર ૧૦ મિનિટ લાભ આપ્યો.

આમ, જ્યાં સમય મળે ત્યાં ગુરુજી તરત જ ભજન-ભક્તિનાં સાધનો તથા કથાવાર્તા કરવાનો-સાંભળવાનો આગ્રહ રાખે-રખાવે.